મિત્રો, કિશનગઢ - રાજસ્થાન ના યુવરાજ શ્રી સાવંતસીંહ અને રાજનર્તકી ગાયિકા " બણી ઠણી" વચ્ચે કૃષ્ણભક્તિ ના અધ્યાત્મ રંગે " ભક્તિલક્ષણા સ્નેહ " ની અદ્ભુત સત્ય ઘટના આપ માણી શકશો. સાવંતસિંહજી પોતે કવિ,સંગીતકાર,ચિત્રકાર હતા.તેમનું બનાવેલું " બણી ઠણી" નું ચિત્ર ભારતીય મોનાલીસા તરીકે સ્થાન પામેલું છે અને સરકાર દ્વારા તેની ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવી છે." નાગરીદાસ" ના નામથી લખેલા તેમના કૃષ્ણ ભક્તિ ના અનેક પદસંગ્રહ આજે પણ એક સીમાચિન્હ રૂપ છે અને પુષ્ટિમાર્ગીય સંપ્રદાય માં વિશેષ લોકપ્રિય છે.
Comments
Post a Comment